Home>અમારી સફર: બાવીશી પરિવાર
અમારી સફર: બાવીશી પરિવાર
બાવીશી ફર્ટિલિટી ક્લિનિક – સન 1986માં અમદાવાદ ખાતેથી, સ્થાપક ડો. ફાલ્ગુની બાવીશી અને ડો. હિમાંશુ બાવીશી સાથે અમારી સફર શરૂ થઈ. યાત્રામાં પરિવારની બીજી પેઢીના બાહોશ અને જોશીલા યુવા ડો. જાનકી બાવીશી અને ડો. પાર્થ બાવીશી જોડાયાં, જેના કારણે નવો ઉત્સાહ અને ગતિશીલતા તબીબી કાર્યોમાં ભળ્યો. તે સાથે બાવીશી ફર્ટિલિટી ક્લિનિક –બીએફઆઈ અનુભવ અને ઉત્સાહનો સમન્વય જોવા મળ્યો.
તબીબી ક્ષેત્રે બહોળો ભારતીય અનુભવ
- આઈવીએફ પ્રેક્ટિસના 23 વર્ષોમાં, બીએફઆઇએ દેશભરના હજારો દંપતીઓની સારવાર કરી. અમે ભારતીય સ્રીઓને, તેમની જરૂરિયાતો, આકાંક્ષાઓ, માન્યતાઓ અને પરંપરાઓને વધુ સારી રીતે સમજીએ છીએ.
- આ અનુભવ અને આવડતને કારણે બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટને ભારત અને દુનિયાના લોકો સૌથી વધુ પસંદ કરે છે અને અતૂટ વિશ્વાસ ધરાવે છે. બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટનું સતત વિસ્તરણ અને આધૂનિકરણ થતું રહે છે. આજના સમયે બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ તમામ અદ્યતન સુવિધા તેમજ તબીબીના ઉચ્ચતમ ધોરણો સાથે પ્રતિબદ્ધ છે.
- વિજ્ઞાન અને વિશ્વાસના સૈદ્ધાંતિક મૂલ્યો સાથે બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટનો પાયો ચણાયેલો છે.
તમારી અગ્રીમતા…
- અમારા તબીબી કાર્ય-પ્રવૃત્તિના કેન્દ્રમાં અમારા દર્દીઓ છે. બીએફઆઇમાં તમે બીજા કરતા વધુ શ્રેષ્ઠ સારવાર અને યોગ્ય નિર્ણય લેવાના વિકલ્પો મળ્યાનો અનુભવ કરશો. તમે તમારા માટે સાચો અને યોગ્ય નિર્ણય લઇ શકો તે માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ. જે માટે તમને ઊંડાણપૂર્વકની અને શ્રેષ્ઠ સલાહ પુરી પાડીએ છીએ. તમને તમારી માન્યતાઓ અને પ્રશ્નોના સમાધાન માટે પૂરતું માર્ગદર્શન પુરૂં પાડીએ છીએ. તમારી સારવારના સમયગાળા દરમિયાન અમારી ટીમ તમને આરામદાયક અને સંયમિત સ્થિતિનો અનુભવ કરાવશે.
તમારી આઇવીએફ સારવાર, તમારી રીતે
અમે તમારી સાથે રહીને તમે જે રીતે ઇચ્છો એ રીતે સારવારનું આયોજન કરીએ છીએ અને તમારી અપેક્ષા મુજબ પરિણામ મળે તેની કાળજી રાખીએ છીએ. અમેતમારીસારવાર અને તમારી પસંદગીનેધ્યાનમાં રાખીને સારવારને વ્યાપકરૂપે અનુકૂળ બનાવીએ છીએ. જેમકે તમારે એક બાળક જોઇએ છીએ કે જોડિયાં બાળકો જોઇએ છીએ, ઓછી દવા અને ઝડપી સારવારજેવી અનેક બાબતો માટેનો તમારો નિર્ણય આખરી અને મહત્વનો હોય છે.
નીતિધોરણો
- અમે ફક્ત સફળતા મેળવવા માટે કાર્ય નથી કરતા વ્યક્તિની ઇચ્છા અને આકાંક્ષાની પરિપૂર્ણતા અમારા માટે મહત્તવનાં છે. બીજની અદલાબદલી, કે ભેળસેળ નહી, બંન્ને પાત્રની સંમતિ વગર સ્ત્રીબીજદાન કે પુરૂષબીજ દાન નહીં. અહીં આપ પોતાની આનુવંશિકતા( જનેટિક મટીરિયલ ) માટે સો ટકા વિશ્વાસ મુકી શકો છો.
- ભારતમાં અગ્રેસર ગણાતાં અમારાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન – આઇવીએફ ક્લિનિકમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
- અમે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વાસ રાખીએ છીએ.
- અમારા તમામ કેન્દ્રો આધૂનિક ઉચ્ચ-ટેકનોલોજીથી સંપન્ન છે.
- આજની તારીખે 20000 કરતા પણ વધુસંતુષ્ટ દંપતીઓ સુંદર અને સ્વસ્થ સંતાનો પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવે છે.
- ભારતનાં પ્રમુખ સાત શહેરોમાં 12 જેટલા શ્રેષ્ઠત્તમ આઇવીએફ કેન્દ્રો નિઃસંતાન દંપતીઓ માટે આશાના કિરણ બની રહ્યા છે.
અમદાવાદ | વડોદરા | ભુજ | સુરત | મુંબઈ | દિલ્હી | કોલકાતા
- સંતાનપ્રાપ્તિ શક્ય છે. અમને ફક્ત તમારા વિશ્વાસ, ધૈર્ય અને પ્રતિબદ્ધતાની જરૂરછે.
- પરિવાર શરૂ કરવનું ધ્યેચ પુરું કરવામાં અમે મદદરૂપ થઇશું.
- બાવીશીઆઈવીએફ: ભારતનું અગ્રગણ્ય, વિશ્વાસપાત્ર અને આધારભૂત નામ છે.
- અમારી શ્રેષ્ઠ સાર-સંભાળ કેવળ તમારી શારીરિક જ નહીં પણ માનસિક સમસ્યાઓની પણ કાળજી રાખે છે.
અમારીવિશિષ્ઠ ઉપલબ્ધિઓ:
- 2008માં વિટ્રીફાઇડ ફ્રોઝન એગ દ્વારા ભારતનાં પ્રથમ શિશુનો જન્મ.
- યુરોપ મેડિકલ એસોસિએશન દ્વારા “રોઝ ઓફ પેરાસેલ્સસ” અવોર્ડ પ્રાપ્ત કરેલ છે.
- ફર્ટિલિટી સારવાર ક્ષેત્રે કામ કરતી ‘સિંગલ સ્પેશ્યાલિટી હોસ્પિટલ’ માટે Times Health Icon એવોર્ડ મેળવેલ છે.
ભારત અને વિશ્વમાં આઈવીએફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં અમે અગ્રેસર છીએ.
બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ – સૌથી વધારે અનુભવ ધરાવતું ભારતનું વિશ્વસનીય આઇવીએફ ક્લિનિક
35 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં તેજસ્વી સંસ્થા તરીકેની ઉજવણી
અમારું બાવીશી પરિવાર (પ્રમોટર ડોકટરો + સલાહકારો + સ્ટાફ અને શાખાઓના ફોટા)
આઈવીએફકેરમાટે તમે જેને વિશ્વાસપાત્ર ગણ્યું છે તે નામ
drbavishi@ivfclinic.com | 9712622288